વિવાદાસ્પદ ટિપ્પણી બદલ રાજપૂતોના વિરોધ વચ્ચે કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલાએ 16 એપ્રિલે રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું હતું. રૂપાલાની સાથે ભાજપના રાજ્યસભાના સભ્ય અને વાંકાનેરના પૂર્વ રાજવી કેસરીદેવસિંહ ઝાલા સહિતના અનેક આગેવાનો હતાં.