વડા પ્રધાન ઋષિ સુનકે ગયા બુધવારે તા. 17ના રોજ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે વૈશાખીની ઉજવણી માટે એક રિસેપ્શનનું આયોજન કરી શીખ ધર્મના સેવાના સિદ્ધાંતને ઉજાગર કરવા આહ્વાન કર્યું હતું.
લણણીના તહેવારને ચિહ્નિત કરતા વૈશાખી પર્વે રાજકારણીઓ, સમુદાય અને વિ વિધ ધર્મના નેતાઓ અને સૈન્યના અધિકારીઓ સહિત સો કરતાં વધુ મહેમાનો વડા પ્રધાન સુનક દ્વારા કરાયેલી બ્રિટિશ શીખોની સરાહનાને સાંભળવા માટે એકઠા થયા હતા.